Teachings

Teachings

જ્ઞાન અને સિધ્ધાંતનો ઘુઘવતો દરીયો એટલે ગુરુદેવ ૫.પૂ. બા૫જી. “કથાવાર્તા એ મારી દવા છે. ૨૪ કલાકના મારા કથાવાર્તાના પ્રોગ્રામ ગોઠવો” આવા આગ્રહી વચનોની વણઝાર એમના મુખે સદા વહેતી રહે છે. એમના વચનોના પ્રવાહથી અનેકના જીવન બદલાયા છે. અનેકના હૈયા ઠર્યા છે. અનેકના અંતરમાં પૂર્ણતાનો અહેસાસ થયો છે. તેઓએ પીરસેલ જ્ઞાન - સિધ્ધાંત તથા અન્ય ઉપદેશરૂપ વચનો અહીં સારરુપે અલ્પ પ્રમાણમાં પ્રસ્તુત કર્યા છે.

ભગવદ સ્વરૂપની નિષ્ઠા

અનાદિમુક્તની સ્થિતિ (આત્મસ્વરૂપની નિષ્ઠા)

અનાદિમુક્તની સ્થિતિ (આત્મસ્વરૂપની નિષ્ઠા)

અનાદિમુક્ત એટલે શું ?

શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ થઈ, શ્રીજીમહારાજની મૂર્તિની અંદર-બહાર રહીને સમગ્ર મૂર્તિનું સુખ ભોગવતા મુક્તને અનાદિમુક્ત કહેવાય. ‘અનાદિમુક્ત’ એક નથી, અનંત છે.

અનાદિમુક્તો શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે સર્વદેશી અર્થાત્‌ સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. તેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં તદ્‌રૂપ, તલ્લીન, ઓતપ્રોત બની રસબસભાવે સુખ ભોગવે છે. ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સર્વોત્તમ અને સનાતન સુખ ભોગવવા માટેની સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ એવી સેવકભાવની પદવી ‘અનાદિમુક્ત’ની છે.

અનાદિમુક્ત કોણ છે ?

કારણ સત્સંગમાં જોડાયેલા સંતો-હરિભક્તો કે જેમને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા અને પંચવર્તમાન પૂરા પાળે છે તથા અનાદિમુક્તનાં આશીર્વાદ અને લટક પ્રાપ્ત થઈ છે તે સર્વેને અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ કહેવાય અર્થાત્ તેમને હજુ અનાદિમુક્તની સ્થિતિ બાકી છે. માટે તે સર્વેને પ્રાપ્તિવાળા ‘અનાદિમુક્ત’ કહેવાય.

અનાદિમુક્ત શા માટે થવાનું ?

સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સદાય દિવ્ય અને સાકાર છે. નિરાકાર જીવાત્માને આવી દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ પામવું હોય તો તેને નિરાકારમાંથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિરૂપ સાકાર થવું જ પડે. અનાદિમુક્તની પદવી એ ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ લેવા માટેની સર્વશ્રેષ્ઠ પદવી છે. આમ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ ભોગવવા માટે, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ માટે અનાદિમુક્ત થવું ફરજિયાત છે.

  • અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે સત્પુરુષ સાથે જીવ જોડવો અને એમનો રાજીપો કમાવવો ફરજીયાત છે. પરંતુ સત્પુરુષ એ સેવક છે ભગવાન નથી. સત્પુરુષ અનંત છે જયારે સનાતન ભગવાન એક સ્વામિનારાયણ છે. ધ્યાન, ભજન અને ઉપાસના ત્રણ અવરભાવના ટાઈટલ અને સ્વામી, દાતા, નિયંતા ત્રણ પરભાવના ટાઈટલ; આ છ ટાઈટલ એકમાત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણને જ લાગે.
  • અનંત અનાદિમુકતો અનાદિકાળથી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાં રહીને મૂર્તિનું રોમે રોમનું સુખ ભોગવે છે. છતાં મૂર્તિ માંથી એક બુંદ જેટલું સુખ પણ ઓછું થતું નથી.
  • અનંત પરમએકાંતિક મુકતો એકદેશી એટલે કે અંગોઅંગ પ્રત્યે પુરુષોત્તમરૂપ છે અને અનંત અનાદિમુક્તો સર્વદેશી એટલે કે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ છે. પરમ એકાંતિક મુકતોનું સુખ બિંદુ જેટલું છે. જ્યારે અનાદિમુકતોનું સુખ સિંધુ જેટલું છે.
  • આપણે આ વાત જીવસત્તાએ પાકી કરી દેવી કે, “શ્રીજીમહારાજે મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે ને રાખ્યો જ છે.” સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંતકોટી બ્રહ્માંડ ફરે પણ આપણે ફરવું નહી.
  • પહેલા અવરભાવનો નિશ્ચય થાય પછી પરભાવનો નિશ્ચય થાય. અવરભાવનો નિશ્ચય એટલે કાચું ધાબુ અને પરભાવનો નિશ્ચય એટલે પાકુ ધાબુ. અવરભાવનો નિશ્ચય એટલે સ્વરૂપનિષ્ઠા અને પરભાવનો નિશ્ચય એટલે અનાદિમુક્તની સ્થિતિ.
  • અનાદિમુકતના પદની પ્રાપ્તિ થયા પછી સ્થિતિ કરવી ફરજીયાત છે. હું અનાદિમુક્ત જ છું. આ સમજણની દ્રઢતા કરી પ્રતિલોમ ભાવે મૂર્તિનું ધ્યાન કરવાથી શ્રીજીમહારાજ કૃપા કરી અનાદિમુક્તની સ્થિતિ કરાવે છે.

વર્તનશીલ જીવન

વર્તનશીલ જીવન
  • આત્યંતિક કલ્યાણ માટે સ્વરૂપનિષ્ઠાની દ્રઢતા સાથે પાંચવર્તમાન પાળવા પણ ફરજીયાત છે. નિષ્ઠા અને નિયમ બંને હોય તો જ વ્યતિરેકનો સંબધ થાય.
  • વર્તન વગરની વાત અસર કરે જ નહિ. માટે બીજાને ઉપદેશ દેતા પહેલા પોતે વર્તવું.
  • જેનામાં નિષ્ઠા અને નિયમ બંનેની દ્રઢતા હોય એ જ મોટો બાકી ભલે સભામાં આગળ બેસતો હોય ભેંસ ભડકે તેવો તિલક-ચાંદલો કરતો હોય તો તે નાનો જ છે.
  • અમને તો લાખો-કરોડોનાં દાન કરતા હોય તેવા હરિભક્તો કરતા એકવાર જે નિયમ લે તે આજીવન પાળે તે અમને વધુ ગમે એટલે કે અમને વર્તનશીલ જીવનવાળા ખૂબ ગમે.
  • જેના બે જીવન હોય તે અમને ન ગમે. અમારી આગળ-પાછળ ફરતો હોય ને બે હાથ જોડી હાજી હાજી કરતો હોય ને પાછળ વર્તનનાં ઠેકાણા ન હોય તો અમને ન ગમે.
  • કથામાં માત્ર સંભાળવું મહત્વનું નથી. સાંભળ્યા કરતા સમજવું એ મહત્વનું છે. અને સમજ્યા પછી વર્તવું એ તો અતિ મહત્વનું છે. વર્તન એ સાર છે.
  • ભગવાન ને સત્પુરુષ જેમાં રાજી થતા હોય એમ જ વર્તવું. એ જેમાં રાજી ન થતા હોય તે મુજબ ન જ કરવું.
  • કોઈ નથી જોતું એ વિચાર છોડી ‘ભગવાન બધું જ જુએ છે’ એ સમજણ રાખી, ભગવાનની બીક રાખી, પ્રગટપણું રાખી જીવન જીવવું.

ઉચ્ચ માનવતાના ગુણો

ઉચ્ચ માનવતાના ગુણો
  • માતા-પિતાની સેવા કરવી, આમન્યા રાખવી ને તેમના વચન મુજબ વર્તવું. ઉપકારો ભૂલવા નહિ.
  • સત્સંગીનું જીવન નિર્વ્યસની જોઈએ. બીજા વ્યસન તો દુર રહ્યા પણ આપણામાં તો ચા જેટલું નાનું વ્યસન પણ જોઈએ નહિ. અમારી જોડે આવે એટલે પહેલા અમે એનું વ્યસન છોડાવીએ ત્યારે અમને હાશ થાય.
  • જીવનમાં પ્રામાણિકતા રાખવી. નોકરી કરતા હોય તો એ મારી જ કંપની છે એવા ઘરધણી થઇને કામ કરવું. અને જો ભાગીદારીમાં ધંધો કરતા હોઈએ તો બધું બરાબર લખાણ કરી રાખવું. હિસાબ ચોખ્ખો રાખવો પણ અગડમ-બગડમ કરવું નહીં.
  • આપણે દયા રાખવી. કોઈ નાના જીવજંતુની પણ હિંસા ન કરવી અને કોઈ જીવપ્રાણી માત્રને દુભવવો નહીં.
  • સૌની સાથે આત્મિયતાથી હળીમળીને રહેવું. લીંબુમાં પાણીની જેમ ભળી જવું. મોટું મન રાખવું. જતું કરતા અને સહન કરતા શીખવું. પણ કલેશ થાય તેમ ન કરવું.
  • આપણે સત્સંગી થઈને ટીવી, સિનેમા વિગેરે કાંઈ જોવું-સાંભળવું નહીં, એ ગંદકી અંદર નાખીને અંતઃકરણ ભ્રષ્ટ ન કરવું.
  • સાદગી એ આપણી શોભા છે. આપણું જીવન સાદું હોવું જોઈએ. રજોગુણી જીવન આપણને ન શોભે.
  • સૌના પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ રાખવી. સર્વે સત્સંગી આપણા ભાઈ-બહેન છે. અરસપરસ એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર થવું.
  • કોઈની નિંદા-ટીકા ન કરવી. એ નવરાની નિશાની છે. એમાં કેવળ સમય જ બગડે.

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહ સત્સંગ

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહ સત્સંગ
  • દરેક સંપ્રદાયમાં ધર્મ પાળવાનું કહ્યું છે. પરંતુ ખરેખર ધર્મ કયો ? તો શ્રીહરીના વચન પ્રમાણે વર્તવું એ જ ખરો ધર્મ.
  • દુનિયા આખીનું જ્ઞાન હોય એનાથી કાંઈ ન વળે. મુખ્ય જ્ઞાન તો શ્રીજીમહારાજનું સ્વરૂપ છે અને જ્ઞાન પછી ધ્યાને કરીને મૂર્તિરૂપ થાય એ અનુભવજ્ઞાન કહેવાય.
  • જ્ઞાન એટલે મહારાજના સ્વરૂપને ઓળખવું અને પછી મહારાજનાં સ્વરૂપમાં જોડાઈ જવું.
  • ગળ્યું-ચીકણું ન ખાવું, ગોદડું પાથર્યા વગર સુવું, એકલા બટાકા કે ફરાળ ખાવું આ બધા વૈરાગ્યના વેશ છે. એનાથી કાંઈ વાસના ન ટળે. મૂર્તિ વિના બીજા સર્વેનો ત્યાગ થાય અર્થાત્ મૂર્તિ વિના બીજું સર્વે ખોટું થઇ જાય એ જ ખરો વૈરાગ્ય.
  • ભક્તિના ઘણા ભેદ છે. નેવે નેવે એકાશી પ્રકારની ભક્તિ છે. પરંતુ બ્યાશીમી ભક્તિ પરાભક્તિ છે. શ્રીજી મહારાજની મૂર્તિમાં પ્રેમે કહેવાય એ પરાભક્તિ. પરાભક્તિએ કરીને જ દેહભાવ ટળે.

દિવ્યજીવન

દિવ્યજીવન
  • દેહાભિમાન મારી નાખે. દેહાભિમાની વહેલો-મોડો સત્સંગ માંથી પડે જ. માટે માન ટાળી નિર્માની થઇ સૌના દાસાનુદાસ થઇ સત્સંગમાં રહેવું.
  • ભગવાનના ભક્તનું જીવન ખૂબ જ અંતર્મુખી હોય, માટે બહિર્મુખીપણું ન રાખવું.
  • જગતની કોરથી નિર્વાસનિક થઈ ભગવાનમાં પ્રીતિ કરવી. 
  • સત્સંગમાં સૌને વિષેથી દેહદ્રષ્ટિ ટાળી, દિવ્યદ્રષ્ટિ કેળવવી.
  • સત્સંગમાં આવ્યા પછી કદી સકામ ન થવું. નિષ્કામભાવે ભક્તિ કરવી.
  • નવરા ન રહેવું. નવરા બેસીને વાતો કરે તે હિલોળીયો કહેવાય. સમય મળે મહારાજમાં જોડાવું ધ્યાન-ભજન, વાંચન-મનન, માળા-પ્રદક્ષિણા વિગેરે કરવું.
  • આપણું જીવન ખૂબ જ સંયમી રાખવું.. આપણે જેની જરૂર જ નથી એવું ન જાણવું, ન જોવું, ન સાંભળવું, ન બોલવું, ન કરવું.

મહાત્મ્ય : અવરભાવ - પરભાવ

મહાત્મ્ય : અવરભાવ - પરભાવ
  • આખે કરીને જે દેખાય છે સાચું પણ ખોટું છે તેને કહેવાય અવરભાવ. અને જે દેખાતું નથી પણ સાચું છે, જે અનુભવાય છે તેને કહેવાય પરભાવ.
  • શ્રીજીમહારાજનો પ્રત્યક્ષપણે નિશ્ચય કરવો અર્થાત્ હું જે મૂર્તિના દર્શન કરું છું. એ મૂર્તિ ભેળું જ તેજ, ઐશ્વર્ય, અનંત અનાદિમુકતો, લાવણ્યતાં વિગેરે આ મૂર્તિ ભેળું જ છે; એને કહેવાય પ્રત્યક્ષપણે નિશ્ચય.
  • શ્રીજીમહારાજ સં. ૧૮૩૭માં અવરભાવમાં જન્મ્યા એવું દેખાણું અને સં. ૧૮૮૬માં દેહ મુક્યો એવું દેખાણું. પણ એવું દેહધારીઓ ને દેખાણું ખરેખર મહારાજ આવ્યા નથી ને ગયા ય નથી સદાય પ્રગટ જ છે.
  • મહારાજે વચનામૃતમાં કહ્યું કે સાચા ભક્ત થવું તો સાચો ભક્ત કોણ ? તો જે શ્રીજીમહારાજનું યથાર્થ મહાત્મ્ય સમજતો હોય કે આ ભગવાન મનુષ્ય જેવા કે પ્રતિમા જેવા નથી સદા પરભાવમાં જ છે. દિવ્યાતી દિવ્ય જ છે. આવું સમજે તે સાચો ભક્ત.
  • આ વાસણાના ઘનશ્યામ મહારાજ છે અને આ વડતાલના ઘનશ્યામ મહારાજ છે. એવું નાં બોલાય કે ના વિચારાય. આ બધા અવરભાવનાં ભેદ છે. અવરભાવ બધો ખોટો છે. મહારાજ કોઈ સ્થાન કે જગ્યામાં બંધાય કે સમાય એવા નથી. ઘનશ્યામ મહારાજ અવરભાવમાં ક્યાંયનાં નથી. એ તો સદાય અક્ષરધામમાં જ છે. પરભાવમાં જ છે.
  • મહારાજનાં મહાત્મ્યની કોઈ મર્યાદા હોય જ નહિ. લખાણમાં ક્યાંક મર્યાદા લખી હોય પરંતુ મહારાજ તો સદાય અપાર ને અપાર જ છે ને સદાય અપારને અપાર જ રહે છે.
  • જેને અનંત જન્મના રાજીપાના થર બાઝ્યાં હોય તેને મહારાજ અને મોટાપુરુષને વિષે દિવ્યભાવ આવે તથા જેને અનંત જન્મનાં પાપના થર બાઝ્યાં હોય એને મહારાજ અને મોટાપુરુષમાં મનુષ્યભાવ આવે.
  • કારણ સત્સંગમાં આવેલા બધા અનાદિમુકતો જ છે. બધા વ્યતિરેકનાં સંબંધવાળા જ છે. માટે સૌમા મહારાજનાં દર્શન કરવા.
  • કારણ સત્સંગ એટલે સુપ્રિમનું જજમેન્ટ. આ બધો અનાદિમુકતોનો સમાજ છે એમાં કોઈનો અભાવ-અવગુણ આવે તો પતિ ગયું. ખતમ થઇ જાય. માટે નિરંતર પરભાવનો વિચાર કર્યા કરવો.
  • સ્વામિનારાયણ ભગવાનના સંબંધે કરી વસ્તુ, પદાર્થ, સ્થળ-સ્થાન આ બધું જ માયિક મટી, નિર્ગુણ ને દિવ્ય બને છે.