Life

Life

ભગવાન સ્વામિનારાયણ અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય સંકલ્પથી જ જેઓનું અવરભાવમાં પ્રાગટ્ય થયું છે એવા શ્રીજીસંકલ્પરૂપ દિવ્ય સત્પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનની તથા તેઓએ કરેલાં મહાન અદ્‌ભુત આધ્યાત્મિક તથા સામાજિક કાર્યોની પ્રાગટ્યથી લઈને વર્તમાન સુધીની દિવ્ય સ્મૃતિઓની આછેરી ઝરમર માણીએ.

  • ઈ.સ. ૧૯૨૩

    ઈ.સ. ૧૯૨૩

    જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ જેઠાભાઇને “આધા તુમ્હારા અને આધા હમારા” આશીર્વાદ આપ્યા.

  • ઈ.સ. ૧૯૩૩

    ઈ.સ. ૧૯૩૩

    કારણ સત્સંગના સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવી ઉજાગર કરનાર વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીનું વિરમગામ તાલુકાના વાસણ ગામે પ્રાગટ્ય થયું.

  • ઈ.સ. ૧૯૫૩

    ઈ.સ. ૧૯૫૩

    પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના પ્રાગટ્યના દિવ્ય આશીર્વાદ સમર્થ સદ્‌ગુરુ મુનિબાપાને પ્રાર્થના કરી પોતે અપાવ્યા.

  • ઈ.સ. ૧૯૫૬

    ઈ.સ. ૧૯૫૬

    ભાગવતી સંતદીક્ષા ગ્રહણ કરી ‘સાધુ દેવનંદનદાસ’ એવું નામ ધારણ કર્યું.

  • ઈ.સ. ૧૯૫૯

    ઈ.સ. ૧૯૫૯

    ગુરુદેવ પ.પૂ.બાપજીએ સદ્દ.મુનિસ્વામી પાસે અપાવેલ આશીર્વાદ મુજબ લાડીલા ઘનશ્યામનું (પ.પૂ.સ્વામીશ્રીનું) સાણંદ તાલુકાના દદુકા મુકામે પ્રાગટ્ય થયું.

  • ઈ.સ. ૧૯૬૮

    ઈ.સ. ૧૯૬૮

    સદ્‌. મુનિસ્વામી થકી તેઓના સિદ્ધાંતોનો વારસો પામી કારણ સત્સંગની દિવ્ય અમીરપેઢીના અમીર વારસદાર થયા.

  • ઈ.સ. ૧૯૭૦

    ઈ.સ. ૧૯૭૦

    શ્રીજીમહારાજ અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોત્તમ સિદ્ધાંતોના વિશ્વવ્યાપી પ્રવર્તન કાજે ગુરુદેવ પ.પૂ. બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબાન સ્ટૅડિયમની પાળે સભાનો પ્રારંભ કર્યો. અને ઘનશ્યામનગર મંદિરનો શિલાન્યાસ કર્યો.

  • ઈ.સ. ૧૯૭૪

    ઈ.સ. ૧૯૭૪

    અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ઘનશ્યામનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌપ્રથમ શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિર રચી સ્વામિનારાયણ ભગવાનનો અધૂરો સંકલ્પ પૂર્ણ કર્યો અને સંપ્રદાયમાં શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરો રચવાનો ક્રાંતિકારી પ્રારંભ કર્યો.

  • ઈ.સ. ૧૯૭૬

    ઈ.સ. ૧૯૭૬

    એસ.એમ.વી.એસ. સંસ્થાના માસિક સામયિક ‘ઘનશ્યામ’ અંકનો પ્રારંભ કર્યો.

  • ઈ.સ. ૧૯૭૮

    ઈ.સ. ૧૯૭૮

    ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે મુક્તરાજ ઘનશ્યામભાઈ (વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી)નું મોટા મંદિરે પ્રથમ મિલન થયું.

  • ઈ.સ. ૧૯૮૦

    ઈ.સ. ૧૯૮૦

    પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્ય તેમજ આધ્યાત્મિક અનુગામી સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ભાગવતી સંતદીક્ષા આપી, ‘સાધુ સત્યસંકલ્પદાસ’ એવું નામકરણ કર્યું.

  • ઈ.સ. ૧૯૮૧

    ઈ.સ. ૧૯૮૧

    ભગવાન સ્વામિનારાયણનો ૨૦૦ વર્ષનો પ્રાગટ્ય મહોત્સવ ‘સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ’ ઘનશ્યામનગર મંદિરે ઊજવાયો.

  • ઈ.સ. ૧૯૮૪

    ઈ.સ. ૧૯૮૪

    શ્રીજીમહારાજ અને બાપાશ્રીના સિદ્ધાંત પ્રવર્તન કાજે સાંપ્રદાયિક બંધનોમાંથી ગુરુદેવ પ.પૂ.બાપજી નિર્બંધ થયા.

  • ઈ.સ. ૧૯૮૭

    ઈ.સ. ૧૯૮૭

    શુદ્ધ ઉપાસનાયુક્ત ભવ્ય પ્રથમ શિખરબદ્ધ મંદિરનું શ્રીજીમહારાજના પ્રસાદીભૂત સ્થાન વાસણા ખાતે નિર્માણ કરીને સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ની સ્થાપના કરી.

  • ઈ.સ. ૧૯૮૭

    ઈ.સ. ૧૯૮૭

    સિદ્ધાંતોના પ્રચાર માટે સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર અન્વયે બાળ-બાલિકા, કિશોર-યુવક મંડળની સ્થાપના કરી.

  • ઈ.સ. ૧૯૯૩

    ઈ.સ. ૧૯૯૩

    ‘જીવનપ્રાણ અબજીબાપાશ્રી શાર્ધ શતાબ્દી મહોત્સવ’ના પૂર્વ તબક્કારૂપે ‘બાપાશ્રી મહોત્સવ’ લુણાવાડા ખાતે ઉજવાયો.

  • ઈ.સ. ૧૯૯૫

    ઈ.સ. ૧૯૯૫

    ‘જીવનપ્રાણ અબજીબાપાશ્રી શાર્ધ શતાબ્દી મહોત્સવ’ માત્ર ૧૪ સંતોના સહયોગથી ભવ્યતાથી યોજી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એસ.એમ.વી.એસ. સંસ્થાની શાન વધારી.

  • ઈ.સ. ૧૯૯૫

    ઈ.સ. ૧૯૯૫

    સૌપ્રથમ વાર વિદેશ વિચરણ અર્થે લંડન પધારી વિદેશની ભૂમિ પર કારણ સત્સંગનાં બીજ રોપ્યાં.

  • ઈ.સ. ૧૯૯૬

    ઈ.સ. ૧૯૯૬

    સૌપ્રથમ અમેરિકા અને કુવૈત ખાતે વિચરણ અર્થે પધારી કારણ સત્સંગનાં બીજ રોપાયાં.

  • ઈ.સ. ૨૦૦૧

    ઈ.સ. ૨૦૦૧

    મહિલા વર્ગના આધ્યાત્મિક-સામાજિક ઉત્કર્ષ માટે ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રેરણાથી ત્યાગી મહિલામુક્તોના ‘ભક્તિનિવાસ’ એકમની સ્થાપના થઈ.

  • ઈ.સ. ૨૦૦૧-૦૨

    ઈ.સ. ૨૦૦૧-૦૨

    સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ભવ્ય ‘સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ’ ઊજવાયો.

  • ઈ.સ. ૨૦૦૨

    ઈ.સ. ૨૦૦૨

    ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ ધામનું નિર્માણ કરી SMVS સંસ્થાના મુખ્ય વડામથકની સ્થાપના કરી.

  • ઈ.સ. ૨૦૦૨

    ઈ.સ. ૨૦૦૨

    બાળકોમાં સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ આપવા માટે ગાંધીનગર ખાતે SMVS સ્વામિનારાયણ ધામ ગુરુકુલની સ્થાપના કરવામાં આવી.

  • ઈ.સ. ૨૦૦૩

    ઈ.સ. ૨૦૦૩

    વિદેશની ભૂમિ પર અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં જર્સીસિટી ખાતે સૌપ્રથમ સર્વોપરી શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરનું નિર્માણ કરીને કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો મંગલ પ્રારંભ કર્યો.

  • ઈ.સ. ૨૦૦૬

    ઈ.સ. ૨૦૦૬

    સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ભવ્ય ‘વચનામૃત રહસ્યાર્થ બાપાશ્રી વાણી શતાબ્દી મહોત્સવ’ ઊજવાયો.

  • ઈ.સ. ૨૦૦૭

    ઈ.સ. ૨૦૦૭

    સમગ્ર સંસ્થાનું સુયોગ્ય મૅનેજમેન્ટ ગોઠવવા કાર્યાલયોની રચના કરી.

  • ઈ.સ. ૨૦૦૮

    ઈ.સ. ૨૦૦૮

    ગુરુદેવ પ.પૂ. બાપજીનો ૭૫મો પ્રાગટ્યોત્સવ ‘અમૃત પર્વ શિબિર’ તરીકે ઊજવાયો.

  • ઈ.સ. ૨૦૧૧

    ઈ.સ. ૨૦૧૧

    મુમુક્ષુને સંત થતા પૂર્વે સુવ્યવસ્થિત આધ્યાત્મિક ઘડતર તથા વ્યવહારિક તાલીમ આપી તેઓનું સર્વાંગી ઘડતર કરવા માટે સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)નો પ્રારંભ કર્યો.

  • ઈ.સ. ૨૦૧૧

    ઈ.સ. ૨૦૧૧

    કન્યા કેળવણીના તીર્થ સમાન ‘SMVS સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ’ની ગાંધીનગર ખાતે સ્થાપના કરવામાં આવી.

  • ઈ.સ. ૨૦૧૧

    ઈ.સ. ૨૦૧૧

    આજની બાળપેઢીને સત્સંગ, સંસ્કાર તેમજ કેળવણીના ઉચ્ચ આદર્શો બાળપણથી મળી રહે તે માટે ‘આદર્શ બાળ સભા’ (ABS)નો પ્રારંભ કરવામાં આવ્યો.

  • ઈ.સ. ૨૦૧૨

    ઈ.સ. ૨૦૧૨

    SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂર્ણ થયાના ગૌરવરૂપે ‘SMVS રજત જયંતી મહોત્સવ’ ઉજવાયો.

  • ઈ.સ. ૨૦૧૨

    ઈ.સ. ૨૦૧૨

    પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર અનુગામી સત્પુરુષ તરીકે વ્હાલા પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીને ઘોષિત કર્યા.

  • ઈ.સ. ૨૦૧૨

    ઈ.સ. ૨૦૧૨

    ભવિષ્યમાં થનાર કારણ સત્સંગ યુનિવર્સિટીનો ભાવિ સંકલ્પ ઉદ્‌ઘોષિત કર્યો.

    ‘કારણ સત્સંગ યુનિવર્સિટી’ના પૂર્વાપર આયોજનના ભાગ રૂપે આદર્શ યુવા પ્રૉજેક્ટનો પ્રારંભ થયો.

  • ઈ.સ. ૨૦૧૨

    ઈ.સ. ૨૦૧૨

    સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતી મહોત્સવ ઊજવાયો તે ઉપક્રમે ૨૯ મંદિરોનાં નિર્માણકાર્ય તથા ભૂમિ પ્રવેશના પ્રોગ્રામ થયાં.

  • ઈ.સ. ૨૦૧૨

    ઈ.સ. ૨૦૧૨

    SMVS સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ થયે ગુજરાત રાજ્યના તાલુકા તથા જીલ્લાઓ લેવલના આશરે ૧૪ જેટલા રજત ગૌરવ દિનો ઉજવાયા.

  • ઈ.સ. ૨૦૧૩

    ઈ.સ. ૨૦૧૩

    ત્યાગાશ્રમના માર્ગે વળવા ઇચ્છનાર મુમુક્ષુ યુવતીઓનું આધ્યાત્મિક ઘડતર કરવા તથા વ્યવહારિક તાલીમ આપી તેઓનું સર્વાંગી ઘડતર કરવા માટે સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)નો પ્રારંભ થયો.

  • ઈ.સ. ૨૦૧૪

    ઈ.સ. ૨૦૧૪

    ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા સમજાવવામાં આવી રહેલ શ્રીજીસંમત કારણ સત્સંગના મૂળભૂત સિદ્ધાંતોનો લઘુ ગ્રંથ ‘સ્વરૂપનિષ્ઠા’ની રચના કરવામાં આવી. જેમાં જ્ઞાનની સ્પષ્ટતા માટે ગુરુદેવ પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ પણ અંગત રસ લઈ ખૂબ દાખડો કર્યો.

  • ઈ.સ. ૨૦૧૫

    ઈ.સ. ૨૦૧૫

    દેશ-વિદેશમાં સમાજના કોઈ પણ વર્ગને સામાજિક તથા રચનાત્મક પ્રવૃત્તિઓનો લાભ આપવા તથા તેના સંચાલન માટે ‘SMVS ચૅરિટિઝ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી.

  • ઈ.સ. ૨૦૧૫

    ઈ.સ. ૨૦૧૫

    આજે કે ભવિષ્યમાં જે હેતુ, આદર્શો તેમજ સિદ્ધાંતોથી આ SMVS સંસ્થાનું શ્રીજીમહારાજના સંકલ્પથી સ્થાપન કરવામાં આવ્યું છે તેમાં હજારો-લાખો વર્ષ સુધી કોઈ ફેરફાર ન આવે તથા પેઢીઓની પેઢીઓ સંસ્થાના પાતાળમાં પાયા પહોંચાડવા SMVS સંસ્થાનું મુખ્ય સંસ્થા બંધારણ રચવામાં આવ્યું.

    સ્વામિનારાયણ ભગવાને પૂ. સંતો માટે કરેલ આજ્ઞાઓ વર્તમાનકાળે તથા ભવિષ્યમાં પણ અક્ષરશઃ પળાય અને સંતોના આશ્રમની અણીશુદ્ધતા રહે તે માટે SMVSના ત્યાગીસમાજ માટે ‘સંત બંધારણ’ની રચના કરવામાં આવી.

  • ઈ.સ. ૨૦૧૬

    ઈ.સ. ૨૦૧૬

    નોર્થ અમેરિકા સત્સંગ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે અમેરિકાના ચેરીહિલ સિટી, ન્યૂજર્સી ખાતે સ્વામિનારાયણ ધામની વડામથક તરીકે સ્થાપના કરી.

  • ઈ.સ. ૨૦૧૬

    ઈ.સ. ૨૦૧૬

    બળદિયા ખાતે બાપાશ્રીના મૂળભૂત પ્રાગટ્યસ્થાન પર છત્રી નિર્માણ કર્યું.

  • ઈ.સ. ૨૦૧૬

    ઈ.સ. ૨૦૧૬

    SMVS છાત્રાલયની સ્થાપના થઈ.

  • ઈ.સ. ૨૦૧૯

    ઈ.સ. ૨૦૧૯

    સમાજ સેવાના મહાભિનિષ્ક્રમણ માટે ‘SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ’ની સ્થાપના થઈ.

  • ઈ.સ. ૨૦૧૯

    ઈ.સ. ૨૦૧૯

    ગુરુદેવ પ.પૂ. બાપજીની કથાવાર્તાને સંકલિત કરી લઘુગ્રંથ “પ.પૂ. બાપજીની અમૃત વાતો ભાગ-૧”નું એમની હયાતીમાં પ્રકાશન કરવામાં આવ્યું.

  • ઈ.સ. ૨૦૧૯

    ઈ.સ. ૨૦૧૯

    ગુરુદેવ પ.પૂ.બાપજીએ દેખાતો અવરભાવ અદ્રશ્ય કરી સ્વામિનારાયણ ધામ પર કાયમી નિવાસ કર્યો.