ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃત વાતોના પ્રારંભે પ્રાર્થના
સૌપ્રથમ ગુરુદેવ પ.પૂ. બાપજી દિવ્ય રૂપે ને પ્રગટપણે બિરાજી આપણને લાભ આપી રહ્યા છે એવી સમજણ રાખવી અને પ્રાર્થના કરવી :
“હે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી ! આ૫ના સંપૂર્ણ કર્તા સ્વયં શ્રીજીમહારાજ છે ત્યારે આ અમૃત વાતો અમારા દેહભાવને યોગે કરી ભલે આ૫ના મુખમાંથી પ્રગટતી જણાય પણ સ્વયં શ્રીજીમહારાજના જ મુખકમળમાંથી પ્રગટેલી છે. ત્યારે આ અમૃત વાતોમાં સમાયેલ શ્રીજીમહારાજના અંતર્ગત અભિપ્રાયોને સમજી શકું અને વર્તનમાં મૂકી શકું એવી કૃપા કરજો...” ત્યારબાદ દરેક વાતના વાંચનનો પ્રારંભ : “સ્વામિનારાયણ હરે... પછી પ.પૂ. બાપજીએ વાત કરી જે...” એવા ઉચ્ચારણ કર્યા પછી જ કરવો.